અમલીકરણ થતું નથી અને બધા જ એકબીજા પર દોષારોપણ કરતા રહે છે. આવી સ્થિતિમાં ભરપૂર વિશ્વાસ જોઇએ. પરંતુ આવો વિશ્વાસ પેદા કરવા શું કરવું? એક વખત તૂટી ગયેલા વિશ્વાસને કઇ રીતે પુનર્જીવિત કરવો? અહીં આપેલા કેટલાક ઉપાયો અજમાવી શકાય...
વચન પાળતાં શીખો: પૂરું ન થાય એવું વચન ન આપો અને એક વખત આપ્યા બાદ કોઇ પણ સંજોગોમાં પાળી બતાવો. આપણે ભાગે આવેલું કામ સમયસર પૂરું કરો. વારંવાર વચનભંગ કરવાથી વિશ્વાસ તો તૂટે જ છે, પરંતુ ટીમનું સ્તર પણ નીચું જાય છે.
તમારાં સૂચનો અસરકારક હોવાં જોઇએ: સતત ક્ષુલ્લક અને નકામાં સૂચનો કર્યા કરવાથી લોકો આપણી તરફ ઘ્યાન આપવાનું બંધ કરી દે છે. તમારાં સૂચનો નવીન અને એકદમ તાજાં હોવાં જોઇએ.
તમારું કામ નિપુણતાથી કરો: લોકોને તમે શું કરી શકો છો તેમાં નહીં, બલકે શું કર્યું છે તેમાં રસ પડે છે. તમારા ભાગે આવેલું કામ અસરકારક રીતે પૂરું કરો, તેનું યોગ્ય પ્રેઝન્ટેશન કરો અને કુશળતાથી મીટિંગોનું સંચાલન પણ કરો. આનાથી તમારામાં નેતૃત્વના ગુણો પણ ખીલશે.
અન્ય લોકોમાં રસ લો: અંગ્રેજીમાં એક કહેવત છે: There is no ‘I’ in word ‘Team’. અર્થાત્ ટીમમાં ‘I’ ઇગો - અહમ્, સ્વાર્થને કોઇ સ્થાન ન હોવું જોઇએ. બીજા સભ્યોમાં રસ લો. તેમની વાતો રસપૂર્વક સાંભળો, દોસ્તી બનાવો.
અન્યોના નિર્ણયમાં સાથ આપો: બુદ્ધિગમ્ય અને સંતુલિત નિર્ણય લેનારા લોકોના મનમાં વસી જાય છે. બીજા કોઇનો નિર્ણય યોગ્ય લાગે, સુસંગત લાગે તો સ્વીકારતાં અચકાશો નહીં. આની સામે તમારો દ્રષ્ટિકોણ પણ પરિસ્થિતિને અનુસાર ન હોય તો ત્યજી દો.
અવિશ્વાસનું મૂળ શોધી કાઢો: ટીમમાં અવિશ્વાસનું નિંદામણ ફૂટી નીકળે તો તેનું મૂળ શોધીને ખેંચી કાઢો. આ સર્વપક્ષીય કાર્ય છે અને વિશ્વાસ પુન: બહાલ કરવા આવશ્યક છે.
વિવાદ ઉકેલતા રહો: વાતચીત દ્વારા વિવાદો ઉકેલતા રહો. ટીમમાં મતભેદ ચાલે, મનભેદ નહીં. એ વિશ્વાસ તોડી નાખે છે.
ક્યાંય વિશ્વાસની ઝલક દેખાય તો તેની પ્રશસ્તિ કરો: ટીમમાં સભ્યો એકબીજા પર ગાઢ વિશ્વાસ મૂકતા થાય તો જાહેરમાં તેની સરાહના કરો, તેને ઊજવો.
No comments:
Post a Comment