ઉપનિષદોનો રચનાકાળ લગભગ 4000 વર્ષ જૂનો છે, આ આધાર પર માનવામાં આવે છે કે વેદોનો રચનાકાળ 5000 વર્ષ કરતા પણ પૂર્વેનો છે.
વેદ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ચાર વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. મૂળરુપે આ ગ્રંથો વિચારોના ગ્રંથ છે. માટે જ તેને આર્ય સંસ્કૃતિના ગ્રંથ ગણવામાં આવે છે. વેદ જ્ઞાનનો ભંડાર છે. વિજ્ઞાન હોય કે ખગોળ શાસ્ત્ર, યજ્ઞવિધિ કે દેવતાઓની સ્તુતિ બધું જ ચાર વેદો(ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)માં પ્રાપ્ય છે.
વેદનો શાબ્દિક અર્થ છે જ્ઞાન, જાણવું. વેદોને સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે. વેદોને શ્રુતિ પણ ગણવામાં આવે છે. શ્રુતિ એટલે સાંભળીને લખાયેલું. માનવામાં આવે છે કે ઋષિમુનિઓએ આ ગ્રંથ બ્રહ્માના મુખેથી સાંભળીને લખ્યા છે. વેદોની ઋચાઓ(મંત્રો)માં અનેક પ્રયોગો અને સૂત્રો છે. ખગોળ, વિજ્ઞાન, આયુર્વેદ, ટેક્નોલોજી જેવા દરેક વિષયોના વિભિન્ન મંત્રો છે. નાસાએ પણ વેદોમાં છુપાયેલા જ્ઞાનને પ્રામાણિત માન્યું છે. ઉપનિષદોનો રચનાકાળ લગભગ 4000 વર્ષ જૂનો છે, આ આધાર પર માનવામાં આવે છે કે વેદોનો રચનાકાળ 5000 વર્ષ કરતા પણ પૂર્વેનો છે.
ઋગ્વેદ : ઋગ્વેદ સહુથી પહેલો વેદ છે. તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ, દેવતાઓના આહ્વાનના મંત્રો છે. આ વેદમાં 1028 ઋચાઓ(મંત્રો) અને 10 મંડળ(અધ્યાય) છે.
યજુર્વેદ : યજુર્વદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. તેના 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે.
સામવેદ : આ વેદમાં ઋગ્વેદની ઋચાઓ(મંત્રો)નું સંગીતમય રૂપ છે. સામવેદમાં મૂળરુપે સંગીતની ઉપાસના છે. તેમાં 1875 મંત્રો છે.
અથર્વવેદ : આ વેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે. જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે. આ વેદ સહુથી મોટો છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે.
પહેલા એક જ હતા વેદ :
એવું પ્રચલિત છે કે પહેલા વેદ ચાર ભાગમાં ન હતા. ચારેય વેદ એકમાં જ હતા. વિદ્વાનો માને છે કે મહાભારતકાળ બાદ શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસે(વેદવ્યાસે) તેને ચાર ભાગમાં વહેંચ્યા હતા. તેમના ચાર શિષ્યો જે પોતાના સમયના મહાન સંત હતા તે પૈલ, વૈશ્યંપાયન, જૈમિનિ અને સુમંતુએ તેમની પાસેથી વેદોનું શિક્ષણ મેળવ્યું હતું. અનેક વિદ્વાનોનું માનવું છે કે વેદ બ્રહ્માની માનસપુત્રી ગાયત્રીમાંથી ઉત્પન્ન થયા છે. ગાયત્રી જ આ વેદોની રચનાકાર મનાય છે.
વેદ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ચાર વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. મૂળરુપે આ ગ્રંથો વિચારોના ગ્રંથ છે. માટે જ તેને આર્ય સંસ્કૃતિના ગ્રંથ ગણવામાં આવે છે. વેદ જ્ઞાનનો ભંડાર છે. વિજ્ઞાન હોય કે ખગોળ શાસ્ત્ર, યજ્ઞવિધિ કે દેવતાઓની સ્તુતિ બધું જ ચાર વેદો(ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)માં પ્રાપ્ય છે.
વેદનો શાબ્દિક અર્થ છે જ્ઞાન, જાણવું. વેદોને સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે. વેદોને શ્રુતિ પણ ગણવામાં આવે છે. શ્રુતિ એટલે સાંભળીને લખાયેલું. માનવામાં આવે છે કે ઋષિમુનિઓએ આ ગ્રંથ બ્રહ્માના મુખેથી સાંભળીને લખ્યા છે. વેદોની ઋચાઓ(મંત્રો)માં અનેક પ્રયોગો અને સૂત્રો છે. ખગોળ, વિજ્ઞાન, આયુર્વેદ, ટેક્નોલોજી જેવા દરેક વિષયોના વિભિન્ન મંત્રો છે. નાસાએ પણ વેદોમાં છુપાયેલા જ્ઞાનને પ્રામાણિત માન્યું છે. ઉપનિષદોનો રચનાકાળ લગભગ 4000 વર્ષ જૂનો છે, આ આધાર પર માનવામાં આવે છે કે વેદોનો રચનાકાળ 5000 વર્ષ કરતા પણ પૂર્વેનો છે.
ઋગ્વેદ : ઋગ્વેદ સહુથી પહેલો વેદ છે. તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ, દેવતાઓના આહ્વાનના મંત્રો છે. આ વેદમાં 1028 ઋચાઓ(મંત્રો) અને 10 મંડળ(અધ્યાય) છે.
યજુર્વેદ : યજુર્વદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. તેના 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે.
સામવેદ : આ વેદમાં ઋગ્વેદની ઋચાઓ(મંત્રો)નું સંગીતમય રૂપ છે. સામવેદમાં મૂળરુપે સંગીતની ઉપાસના છે. તેમાં 1875 મંત્રો છે.
અથર્વવેદ : આ વેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે. જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે. આ વેદ સહુથી મોટો છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે.
પહેલા એક જ હતા વેદ :
એવું પ્રચલિત છે કે પહેલા વેદ ચાર ભાગમાં ન હતા. ચારેય વેદ એકમાં જ હતા. વિદ્વાનો માને છે કે મહાભારતકાળ બાદ શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસે(વેદવ્યાસે) તેને ચાર ભાગમાં વહેંચ્યા હતા. તેમના ચાર શિષ્યો જે પોતાના સમયના મહાન સંત હતા તે પૈલ, વૈશ્યંપાયન, જૈમિનિ અને સુમંતુએ તેમની પાસેથી વેદોનું શિક્ષણ મેળવ્યું હતું. અનેક વિદ્વાનોનું માનવું છે કે વેદ બ્રહ્માની માનસપુત્રી ગાયત્રીમાંથી ઉત્પન્ન થયા છે. ગાયત્રી જ આ વેદોની રચનાકાર મનાય છે.

No comments:
Post a Comment