ભારત માત્ર જમીનનો એક ખંડ નથી, ન રાજનૈતિક એકમ, ન ઐતિહાસિક હકીકતોનો એક ટુકડો. ભારત એક પ્યાસ છે- સત્યને પામવાની. એટલે જ દુનિયાભરના પ્યાસાઓ ભારતની યાત્રા ખેડે છે. અંતયાત્રા માટેની બહિયાત્રા. - ઓશો
જીવન એક યાત્રા છે - સનાતન યાત્રા. આ યાત્રાનું રહસ્ય એ છે કે એ બે સ્તરે થાય છે- બહિયાત્રા અને અંતયાત્રા. આ બન્ને યાત્રા એકમેકની પૂરક છે. બન્ને યાત્રાથી જ્ઞાન અને અનુભૂતિમાં પરિપક્વતા આવે છે. આ દેશમાં સંન્યાસી માટે હંમેશાં એક સૂત્ર વપરાતું રહ્યું છે. ભ્રમણને લગતું એ સૂત્ર છે- સાધુ તો ચલતા ભલા. સંન્યાસી એ જે સદા ચાલતો રહે, વહેતો રહે, ક્યાંય ઘર ન બનાવે.
ઘર બનાવ્યું કે એની સાથે પૂરી જાળ આવી, જીવનની જંજાળ આવી. એટલે તથાગત બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું: ચરૈવતિ ચરૈવતિ, ચાલ્યા કરો, ચાલ્યા કરો. ક્યાંય ઊભા રહ્યા તો મોહપાશમાં બંધાઈ જશો અને તમારી સાધના રુંધાઈ જશે. નદીની જેમ આગળ વધતા રહો.
હરમન હેસની નવલકથા સિદ્ધાર્થની વાર્તા ભારે અર્થસભર છે. એનું મુખ્ય પાત્ર જીવનનું રહસ્ય નદીના પ્રવાહ પાસેથી પામે છે. ક્યારેય નદીની ગતિ તેજ હોય, ક્યારેક શાંત, ક્યારેક એ પ્રફુલ્લિત હોય તો ક્યારેક ઉદાસ - નદીની પોતાની ભાવદશાઓ હોય છે. એવું જ આપણા ચિત્તનું છે- ક્યારેક ખુશ તો ક્યારેક ઉદ્વિગ્ન. ક્યારેક એવું દોડે જાણે તોફાન આવ્યું હોય તો ક્યારેક ઠરીને ઊભું રહી જાય.
વાર્તાનો નાયક સિદ્ધાર્થ કાંઠે બેસીને નદીની આ બધી ભાવદશાઓને જોતો રહે છે. સાથે પોતાના ચિત્તમાં ઊઠતાં તરંગોને પણ નિહાળતો રહે છે અને એક દિવસ એને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હરમન હેસની આ નવલકથામાં ઉપનિષદોનો મૂળ સંદેશ તથા ભગવાન કòષ્ણ તથા બુદ્ધના ઉપદેશનો સાર છે. બધું સાક્ષીભાવે જોવું. અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ તો નદીની લહેરો જેવું છે. ઘ્યાન કરી રહેલો સાધક એ લહેરોમાં અટવાતો નથી, તટસ્થ થઈ જાય છે.
આ જાણવા-સમજવા વિશ્વભરના જ્ઞાનપિપાસુ ભારત આવે છે. આવી જ એક અંતયાત્રા માટે તેઓ બહિયાત્રા ખેડે છે. પૃથ્વીના કોઈ પણ ખૂણે જ્યારે પણ કોઈને સત્યની જિજ્ઞાસા થઈ કે પ્યાસ લાગી ત્યારે એણે પોતાની નજર ભારત તરફ દોડાવી છે. સિકંદરના ગુરુ એરિસ્ટોટલે સિકંદરને કહેલું કે ભારતથી પાછો આવ ત્યારે સાથે એક સંન્યાસી લેતો આવજે. સંન્યાસનાં આ અજોડ ફૂલ જે ભારતમાં આદિકાળથી ખીલતાં રહ્યાં છે એ સત્યશોધકોને ભારત તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે.
ઓશો કહે છે: ભારત માત્ર જમીનનો એક ખંડ નથી, ન રાજનૈતિક એકમ, ન ઐતિહાસિક હકીકતોનો એક ટુકડો. ભારત એક પ્યાસ છે- સત્યને પામવાની. જમીન પર ભલે કોઈ ગમે ત્યાં જન્મે, કોઈ પણ દેશમાં, સદીમાં, ભૂતકાળમાં કે ભવિષ્યમાં, અગર ખોજ અંદરની હોય, ભલે ખોજ કરનાર કોઈ પણ હોય, તો એ ભારતનો નિવાસી છે.’આ જ કારણ છે કે ભારતની સરહદો આદિકાળથી સૌને માટે ખુલ્લી રહી છે.
ઘણા ચોર-લૂંટારા-આક્રમણખોરો પણ આવ્યા. દરવાજો ખુલ્લો હોય તો આ જોખમ રહેવાનું જ. ઘણા વણજોઈતા લોકો પણ ઘૂસી આવ્યા, પરંતુ ભારતે સત્યશોધકો સાથે એમને પણ પોતાનામાં સમાવી લીધા. એટલે બહુ પહેલેથી અહીં વસધૈવ કુટુંબકમ્ (પૂરી વસુંધરા પરમાત્માનો પરિવાર છે) તથા અતિથિ દેવો ભવ:ની ભાવના ભારતીયોના દિલમાં ઠાંસીઠાંસીને ભરેલી હતી.
એટલે સારાની સાથે ખરાબ આવ્યા તો એમને પણ ભારત પચાવી ગયું. વળી, માતા માટે કોણ સારું ને કોણ ખરાબ! ભારતમાતાએ પોતાને એટલી નબળી ક્યારેય નથી ગણી કે ખરાબથી એ ગભરાઈ જાય. ખરાબને પણ આત્મસાત્ કરીને એ વધુ મજબૂત બની. એટલે જ એક કવિએ ગાયું - કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી.
ઓશો વધુમાં કહે છે: ‘જો ભારત અંધકારમાં ખોવાઈ ગયું તો માનવીનું કોઈ ભવિષ્ય નથી અને જો આપણે ભારતને ફરી એની પાંખો આપીએ, ફરી એનું આકાશ આપીએ, ફરી એની આંખોમાં તારા તરફ ઊડવાની ઇચ્છા ભરી દઈએ તો જેના દિલમાં પ્યાસ છે એમને જ નહીં, એ સિવાય એવા લોકોને પણ આપણે બચાવી લઈશું જે આજે સૂતેલા છે, પરંતુ કાલે જાગી જશે, ઘરે પાછા ફરશે.’
ભારતનું ભાગ્ય મનુષ્યજાતિની નિયતિ છે. ભારત પ્રતીક છે અંતયાત્રાનું. ‘ભા’નો અર્થ છે પ્રકાશ અને ‘રત’ મતલબ લીન. ભારતનો અર્થ છે પ્રકાશની યાત્રામાં લીન. આ પ્રકાશની યાત્રા છે, અસલી તીર્થયાત્રા છે, જેનું સપનું માણસ આદિકાળથી જોતો આવ્યો છે. બધા પ્રજ્ઞાપુરૂષો એ જ સપનાંની વાત કહે છે. ઓશોએ પણ આ જ સપનાની ચર્ચા કરતાં કહ્યું: ‘પૃથ્વીના આ ભાગમાં માણસે ચેતનાના પહેલા કિરણ ઉપરાંત આ સપનાને જોવાનું શરૂ કર્યું. એ સપનાની માળામાં કેટકેટલાં ફૂલ પરોવાયાં- કેટલા બુદ્ધ, કેટલા મહાવીર, કેટલા કબીર, કેટલા નાનક એ સપના ખાતર પોતાના પ્રાણ ન્યોરછાવર કરી ગયા. એ સપનાને હું મારું કઈ રીતે કહી શકું? એ સપનું મનુષ્યનું, મનુષ્યના અંતરાત્માનું છે. એ સપનાને આપણે એક નામ આપી રાખ્યું છે. એ સપનાને આપણે ભારત કહીએ છીએ.’
ભારત છે એક અભીપ્સા, એક પ્યાસ- સત્યને મેળવી લેવાની.એ સત્યને, જે આપણા હૃદયની પ્રત્યેક ધડકનમાં સમાયેલું છે, એ સત્યને, જે આપણી ચેતનાના ઊંડાણમાં સૂતેલું છે, એ સત્ય જે આપણું હોવા છતાં આપણે એને ભૂલી ચૂક્યા છીએ, એ સત્યનું પુન:સ્મરણ, એનો પુનરોચ્ચાર એ જ ભારત છે. ‘અમૃતસ્ય પુત્ર: - એ અમૃતના પુત્રો’ આ ઉદઘોષણા જેણે સાંભળી, કેવળ એ જ ભારતીય નાગરિક છે. ભારતમાં જન્મ લેવાથી કોઈ ભારતીય નાગરિક નથી બની જતું.
પૃથ્વી પર કોઈ ચાહે ગમે ત્યાં જન્મે, પણ એ જો સત્યને શોધતો હોય તો એ ભારતનો નિવાસી છે. મારા માટે ભારત અને અઘ્યાત્મ પર્યાયવાચી છે. ભારત અને સનાતન ધર્મ પર્યાયવાચી છે. એટલે ભારતના પુત્રો ધરતીના ખૂણેખૂણે છે. જે ભારતમાં જન્મ્યા છે, એમને જ્યાં સુધી અમૃતની આ તલાશ પાગલ ન બનાવી દે ત્યાં સુધી એ ભારતીય નાગરિક બનવાને અધિકારી નથી. ભારત એક સનાતન યાત્રા છે, એક અમૃતપંથ છે, જે અનંતથી અનંત સુધી વિસ્તરેલો છે.
ક્ષમા
બેસ્ટ ક્વોલિટીની ચુસ્ત આગ્રહી એવી એક મહિલાએ એવા દુકાનદારને ત્યાંથી સામાન મગાવવાનું શરૂ કર્યું જેનો માલ હંમેશાં બેસ્ટ રહેતો. એટલું જ નહીં, સમયપાલન બાબતે પણ એ એકદમ ચુસ્ત હતો. એક દિવસ પેલી મહિલાને ત્યાં મહેમાનો આવવાના હતા. એ જ દિવસે પેલો દુકાનદાર ન આવ્યો. એણે આખો દિવસ રાહ જોઈ. દુકાનદાર પર એને ખૂબ દાઝ ચડી. બીજા દિવસે એ દેખાયો કે તરત મહિલા વરસી પડી અને ન કહેવા જેવું ઘણું બધું એ બોલી ગઈ. એની આખી વાત શાંતિથી સાંભળી લીધા બાદ દુકાનદારે કહ્યું: ‘મારા કારણે તમને જે તકલીફ થઈ એ બદલ ક્ષમા માગું છું. કાલે મારી માતાનું અવસાન થયું એટલે હું આવી ન શક્યો.’ આ સાંભળ્યા બાદ મહિલા પાસે કહેવા જેવો એક શબ્દ નહોતો.
બોધ: પરિસ્થિતિ હંમેશાં એવી નથી હોતી જેવી આપણે સમજી લેતા હોઈએ છીએ.
જીવન એક યાત્રા છે - સનાતન યાત્રા. આ યાત્રાનું રહસ્ય એ છે કે એ બે સ્તરે થાય છે- બહિયાત્રા અને અંતયાત્રા. આ બન્ને યાત્રા એકમેકની પૂરક છે. બન્ને યાત્રાથી જ્ઞાન અને અનુભૂતિમાં પરિપક્વતા આવે છે. આ દેશમાં સંન્યાસી માટે હંમેશાં એક સૂત્ર વપરાતું રહ્યું છે. ભ્રમણને લગતું એ સૂત્ર છે- સાધુ તો ચલતા ભલા. સંન્યાસી એ જે સદા ચાલતો રહે, વહેતો રહે, ક્યાંય ઘર ન બનાવે.
ઘર બનાવ્યું કે એની સાથે પૂરી જાળ આવી, જીવનની જંજાળ આવી. એટલે તથાગત બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું: ચરૈવતિ ચરૈવતિ, ચાલ્યા કરો, ચાલ્યા કરો. ક્યાંય ઊભા રહ્યા તો મોહપાશમાં બંધાઈ જશો અને તમારી સાધના રુંધાઈ જશે. નદીની જેમ આગળ વધતા રહો.
હરમન હેસની નવલકથા સિદ્ધાર્થની વાર્તા ભારે અર્થસભર છે. એનું મુખ્ય પાત્ર જીવનનું રહસ્ય નદીના પ્રવાહ પાસેથી પામે છે. ક્યારેય નદીની ગતિ તેજ હોય, ક્યારેક શાંત, ક્યારેક એ પ્રફુલ્લિત હોય તો ક્યારેક ઉદાસ - નદીની પોતાની ભાવદશાઓ હોય છે. એવું જ આપણા ચિત્તનું છે- ક્યારેક ખુશ તો ક્યારેક ઉદ્વિગ્ન. ક્યારેક એવું દોડે જાણે તોફાન આવ્યું હોય તો ક્યારેક ઠરીને ઊભું રહી જાય.
વાર્તાનો નાયક સિદ્ધાર્થ કાંઠે બેસીને નદીની આ બધી ભાવદશાઓને જોતો રહે છે. સાથે પોતાના ચિત્તમાં ઊઠતાં તરંગોને પણ નિહાળતો રહે છે અને એક દિવસ એને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હરમન હેસની આ નવલકથામાં ઉપનિષદોનો મૂળ સંદેશ તથા ભગવાન કòષ્ણ તથા બુદ્ધના ઉપદેશનો સાર છે. બધું સાક્ષીભાવે જોવું. અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ તો નદીની લહેરો જેવું છે. ઘ્યાન કરી રહેલો સાધક એ લહેરોમાં અટવાતો નથી, તટસ્થ થઈ જાય છે.
આ જાણવા-સમજવા વિશ્વભરના જ્ઞાનપિપાસુ ભારત આવે છે. આવી જ એક અંતયાત્રા માટે તેઓ બહિયાત્રા ખેડે છે. પૃથ્વીના કોઈ પણ ખૂણે જ્યારે પણ કોઈને સત્યની જિજ્ઞાસા થઈ કે પ્યાસ લાગી ત્યારે એણે પોતાની નજર ભારત તરફ દોડાવી છે. સિકંદરના ગુરુ એરિસ્ટોટલે સિકંદરને કહેલું કે ભારતથી પાછો આવ ત્યારે સાથે એક સંન્યાસી લેતો આવજે. સંન્યાસનાં આ અજોડ ફૂલ જે ભારતમાં આદિકાળથી ખીલતાં રહ્યાં છે એ સત્યશોધકોને ભારત તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે.
ઓશો કહે છે: ભારત માત્ર જમીનનો એક ખંડ નથી, ન રાજનૈતિક એકમ, ન ઐતિહાસિક હકીકતોનો એક ટુકડો. ભારત એક પ્યાસ છે- સત્યને પામવાની. જમીન પર ભલે કોઈ ગમે ત્યાં જન્મે, કોઈ પણ દેશમાં, સદીમાં, ભૂતકાળમાં કે ભવિષ્યમાં, અગર ખોજ અંદરની હોય, ભલે ખોજ કરનાર કોઈ પણ હોય, તો એ ભારતનો નિવાસી છે.’આ જ કારણ છે કે ભારતની સરહદો આદિકાળથી સૌને માટે ખુલ્લી રહી છે.
ઘણા ચોર-લૂંટારા-આક્રમણખોરો પણ આવ્યા. દરવાજો ખુલ્લો હોય તો આ જોખમ રહેવાનું જ. ઘણા વણજોઈતા લોકો પણ ઘૂસી આવ્યા, પરંતુ ભારતે સત્યશોધકો સાથે એમને પણ પોતાનામાં સમાવી લીધા. એટલે બહુ પહેલેથી અહીં વસધૈવ કુટુંબકમ્ (પૂરી વસુંધરા પરમાત્માનો પરિવાર છે) તથા અતિથિ દેવો ભવ:ની ભાવના ભારતીયોના દિલમાં ઠાંસીઠાંસીને ભરેલી હતી.
એટલે સારાની સાથે ખરાબ આવ્યા તો એમને પણ ભારત પચાવી ગયું. વળી, માતા માટે કોણ સારું ને કોણ ખરાબ! ભારતમાતાએ પોતાને એટલી નબળી ક્યારેય નથી ગણી કે ખરાબથી એ ગભરાઈ જાય. ખરાબને પણ આત્મસાત્ કરીને એ વધુ મજબૂત બની. એટલે જ એક કવિએ ગાયું - કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી.
ઓશો વધુમાં કહે છે: ‘જો ભારત અંધકારમાં ખોવાઈ ગયું તો માનવીનું કોઈ ભવિષ્ય નથી અને જો આપણે ભારતને ફરી એની પાંખો આપીએ, ફરી એનું આકાશ આપીએ, ફરી એની આંખોમાં તારા તરફ ઊડવાની ઇચ્છા ભરી દઈએ તો જેના દિલમાં પ્યાસ છે એમને જ નહીં, એ સિવાય એવા લોકોને પણ આપણે બચાવી લઈશું જે આજે સૂતેલા છે, પરંતુ કાલે જાગી જશે, ઘરે પાછા ફરશે.’
ભારતનું ભાગ્ય મનુષ્યજાતિની નિયતિ છે. ભારત પ્રતીક છે અંતયાત્રાનું. ‘ભા’નો અર્થ છે પ્રકાશ અને ‘રત’ મતલબ લીન. ભારતનો અર્થ છે પ્રકાશની યાત્રામાં લીન. આ પ્રકાશની યાત્રા છે, અસલી તીર્થયાત્રા છે, જેનું સપનું માણસ આદિકાળથી જોતો આવ્યો છે. બધા પ્રજ્ઞાપુરૂષો એ જ સપનાંની વાત કહે છે. ઓશોએ પણ આ જ સપનાની ચર્ચા કરતાં કહ્યું: ‘પૃથ્વીના આ ભાગમાં માણસે ચેતનાના પહેલા કિરણ ઉપરાંત આ સપનાને જોવાનું શરૂ કર્યું. એ સપનાની માળામાં કેટકેટલાં ફૂલ પરોવાયાં- કેટલા બુદ્ધ, કેટલા મહાવીર, કેટલા કબીર, કેટલા નાનક એ સપના ખાતર પોતાના પ્રાણ ન્યોરછાવર કરી ગયા. એ સપનાને હું મારું કઈ રીતે કહી શકું? એ સપનું મનુષ્યનું, મનુષ્યના અંતરાત્માનું છે. એ સપનાને આપણે એક નામ આપી રાખ્યું છે. એ સપનાને આપણે ભારત કહીએ છીએ.’
ભારત છે એક અભીપ્સા, એક પ્યાસ- સત્યને મેળવી લેવાની.એ સત્યને, જે આપણા હૃદયની પ્રત્યેક ધડકનમાં સમાયેલું છે, એ સત્યને, જે આપણી ચેતનાના ઊંડાણમાં સૂતેલું છે, એ સત્ય જે આપણું હોવા છતાં આપણે એને ભૂલી ચૂક્યા છીએ, એ સત્યનું પુન:સ્મરણ, એનો પુનરોચ્ચાર એ જ ભારત છે. ‘અમૃતસ્ય પુત્ર: - એ અમૃતના પુત્રો’ આ ઉદઘોષણા જેણે સાંભળી, કેવળ એ જ ભારતીય નાગરિક છે. ભારતમાં જન્મ લેવાથી કોઈ ભારતીય નાગરિક નથી બની જતું.
પૃથ્વી પર કોઈ ચાહે ગમે ત્યાં જન્મે, પણ એ જો સત્યને શોધતો હોય તો એ ભારતનો નિવાસી છે. મારા માટે ભારત અને અઘ્યાત્મ પર્યાયવાચી છે. ભારત અને સનાતન ધર્મ પર્યાયવાચી છે. એટલે ભારતના પુત્રો ધરતીના ખૂણેખૂણે છે. જે ભારતમાં જન્મ્યા છે, એમને જ્યાં સુધી અમૃતની આ તલાશ પાગલ ન બનાવી દે ત્યાં સુધી એ ભારતીય નાગરિક બનવાને અધિકારી નથી. ભારત એક સનાતન યાત્રા છે, એક અમૃતપંથ છે, જે અનંતથી અનંત સુધી વિસ્તરેલો છે.
ક્ષમા
બેસ્ટ ક્વોલિટીની ચુસ્ત આગ્રહી એવી એક મહિલાએ એવા દુકાનદારને ત્યાંથી સામાન મગાવવાનું શરૂ કર્યું જેનો માલ હંમેશાં બેસ્ટ રહેતો. એટલું જ નહીં, સમયપાલન બાબતે પણ એ એકદમ ચુસ્ત હતો. એક દિવસ પેલી મહિલાને ત્યાં મહેમાનો આવવાના હતા. એ જ દિવસે પેલો દુકાનદાર ન આવ્યો. એણે આખો દિવસ રાહ જોઈ. દુકાનદાર પર એને ખૂબ દાઝ ચડી. બીજા દિવસે એ દેખાયો કે તરત મહિલા વરસી પડી અને ન કહેવા જેવું ઘણું બધું એ બોલી ગઈ. એની આખી વાત શાંતિથી સાંભળી લીધા બાદ દુકાનદારે કહ્યું: ‘મારા કારણે તમને જે તકલીફ થઈ એ બદલ ક્ષમા માગું છું. કાલે મારી માતાનું અવસાન થયું એટલે હું આવી ન શક્યો.’ આ સાંભળ્યા બાદ મહિલા પાસે કહેવા જેવો એક શબ્દ નહોતો.
બોધ: પરિસ્થિતિ હંમેશાં એવી નથી હોતી જેવી આપણે સમજી લેતા હોઈએ છીએ.

No comments:
Post a Comment