ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.
આપણા જીવવાની પદ્ધતિમાં ખુશી ઓછી અને નિરાશા વધારે હોય છે. નાની-નાની વાતોને આપણે મોટી બનાવી દઇએ છીએ, જ્યાં ખુશ રહી શકાય છે ત્યાં દુખી થઇ જઇએ છીએ. ખાસ કરીને યુવા પેઢીના મનમાં નિરાશાનો ભાવ ઊંડો હોય છે. જીવવાની રીત બદલો. જીવનને એવી રીતે જીવો કે જાણે કોઇ ઉત્સવ માણી રહ્યા છો. જીવનને એક સારા પ્રસંગની જેમ માણો કારણ કે જીવનની દરેક પળ વિશેષ છે.
વિચાર કરો કે આપણું જીવન કામ છે કે ઉત્સવ છે. આપને ખ્યાલ આવશે કે જીવનનો આનંદ ઉત્સવમાં છે કામમાં નહીં. જે લોકો કર્મને માત્ર કાર્ય તરીકે કરે છે તેઓ એક દિવસ જીવનને તણાવથી ભરપૂર કરી દેશે. જો કર્મને ઉત્સવની જેમ કરવામાં આવે તો ઉત્સાહ-આનંદ જળવાઇ રહેશે. પશુ-પક્ષીઓને જુઓ, તેઓ જે કંઇ પણ કામ કરે છે ઉત્સવની જેમ કરે છે. માત્ર મનુષ્ય જ એવો છે જે પોતાના કર્મને કામની જેમ કરે છે.
હાલમાં ચોતરફ એ બીમારી ફેલાઇ ગઇ છે કે દરેક વ્યક્તિ ઉતાવળમાં છે. ધન અને સફળતા પ્રાપ્તિ માટે પ્રતીક્ષા મૂર્ખતા લાગવા લાગી છે. જે દેશમાં હરિ બોલની ગુંજ હતી ત્યાં હવે હરિ-અપ શબ્દ વારંવાર સંભળાવા લાગ્યો છે. રામના બોલને રન-અપમાં બદલી દેવામાં આવ્યો છે. આવા સમયે આપણા કાર્યને ઉત્સવમાં રૂપાંતરિત કરવું અતિઆવશ્યક છે. જ્યાં વધારે કાર્ય કરવાનો દબાવ છે ત્યાં તણાવ સ્વાભાવિક છે. મીરા ઉત્સવના રુપમાં નાચતી હતી, કૃષ્ણ વાંસળી વગાડતા કે હનુમાન લંકા સળગાવતા હતા દરેક સ્થિતિમાં તેમની અંદર ઉત્સવનો માહોલ રહેતો. ઉત્સવમાં મનુષ્ય સ્વયં પ્રસન્ન રહેવા ઇચ્છે છે અને અન્યોને પણ પ્રસન્ન રાખવાની ઇચ્છા ધરાવે છે.
જ્યારે આપણે ઉત્સવમાં જીવીએ છીએ ત્યારે આપણા લક્ષ્યો એકદમ શુદ્ધ હોય છે. ઉત્સવનો અર્થ જ છે આપણી અંદરની ઉદાસીને દૂર કરવી. ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.
આપણા જીવવાની પદ્ધતિમાં ખુશી ઓછી અને નિરાશા વધારે હોય છે. નાની-નાની વાતોને આપણે મોટી બનાવી દઇએ છીએ, જ્યાં ખુશ રહી શકાય છે ત્યાં દુખી થઇ જઇએ છીએ. ખાસ કરીને યુવા પેઢીના મનમાં નિરાશાનો ભાવ ઊંડો હોય છે. જીવવાની રીત બદલો. જીવનને એવી રીતે જીવો કે જાણે કોઇ ઉત્સવ માણી રહ્યા છો. જીવનને એક સારા પ્રસંગની જેમ માણો કારણ કે જીવનની દરેક પળ વિશેષ છે.
વિચાર કરો કે આપણું જીવન કામ છે કે ઉત્સવ છે. આપને ખ્યાલ આવશે કે જીવનનો આનંદ ઉત્સવમાં છે કામમાં નહીં. જે લોકો કર્મને માત્ર કાર્ય તરીકે કરે છે તેઓ એક દિવસ જીવનને તણાવથી ભરપૂર કરી દેશે. જો કર્મને ઉત્સવની જેમ કરવામાં આવે તો ઉત્સાહ-આનંદ જળવાઇ રહેશે. પશુ-પક્ષીઓને જુઓ, તેઓ જે કંઇ પણ કામ કરે છે ઉત્સવની જેમ કરે છે. માત્ર મનુષ્ય જ એવો છે જે પોતાના કર્મને કામની જેમ કરે છે.
હાલમાં ચોતરફ એ બીમારી ફેલાઇ ગઇ છે કે દરેક વ્યક્તિ ઉતાવળમાં છે. ધન અને સફળતા પ્રાપ્તિ માટે પ્રતીક્ષા મૂર્ખતા લાગવા લાગી છે. જે દેશમાં હરિ બોલની ગુંજ હતી ત્યાં હવે હરિ-અપ શબ્દ વારંવાર સંભળાવા લાગ્યો છે. રામના બોલને રન-અપમાં બદલી દેવામાં આવ્યો છે. આવા સમયે આપણા કાર્યને ઉત્સવમાં રૂપાંતરિત કરવું અતિઆવશ્યક છે. જ્યાં વધારે કાર્ય કરવાનો દબાવ છે ત્યાં તણાવ સ્વાભાવિક છે. મીરા ઉત્સવના રુપમાં નાચતી હતી, કૃષ્ણ વાંસળી વગાડતા કે હનુમાન લંકા સળગાવતા હતા દરેક સ્થિતિમાં તેમની અંદર ઉત્સવનો માહોલ રહેતો. ઉત્સવમાં મનુષ્ય સ્વયં પ્રસન્ન રહેવા ઇચ્છે છે અને અન્યોને પણ પ્રસન્ન રાખવાની ઇચ્છા ધરાવે છે.
જ્યારે આપણે ઉત્સવમાં જીવીએ છીએ ત્યારે આપણા લક્ષ્યો એકદમ શુદ્ધ હોય છે. ઉત્સવનો અર્થ જ છે આપણી અંદરની ઉદાસીને દૂર કરવી. ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.
No comments:
Post a Comment